દેશ-વિદેશ
News of Monday, 25th March 2019

આફ્રિકી દેશમાં વાવાઝોડાના કારણે મૃતકઆંક 750એ પહોંચ્યો

નવી દિલ્હી:ત્રણ આફ્રિકી દેશમાં આવેલ વાવાઝોડાના કારણે 10 દિવસમાં મૃતક લોકોની સંખ્યા  750એ પહોંચી ગયો છે આને લઈને મોઝામ્બિક,ઝીમ્બાબ્વે અને માલાવીમાં પ્રભાવિત વીજળી અને પાણીની વ્યવસ્થાઓ ઠપ્પ થઇ ગઈ છે અને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હૈજા-મલેરિયા જેવી બીમારીઓ હવે તેમની સામે ચુનોતી બની  ગઈ છે મોઝામ્બિકમાં મ્રુતકઆંક વધીને 750એ પહોંચી ગયો છે.

(6:07 pm IST)