બ્રિટનના સ્પાઇનરે પોતાની નિશાનેબાજીથી આતંકવાદીઓ વચ્ચે મચાવ્યો કોહરામ
નવી દિલ્હી: બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ (એસએએસ)ના જાબાંજ સ્નાઇપરે પોતાની નિશાનેબાજીથી આતંકીઓ વચ્ચે કોહરામ મચાવી દીધો હતો. આ જવાને સીરિયામાં લગભગ 900 મીટર દુરથી એકદમ સટીક નિશાન લગાવીને એક ગોળી છોડી હતી. જેને પગલે માત્ર એક ગોળીથી આઇએસના પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. જે આતંકીઓ માર્યા ગયા તેમાં એક આઇએસનો ટોચનો કમાંડર પણ હતો. ડેલી સ્ટારની રિપોર્ટ અનુસાર સ્પેશિયલ એર સર્વિસના આ સાર્જંટે સીરિયામાં તૈનાતી દરમિયાન આ ગોળી ચલાવી હતી.
આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બોમ્બથી ભરેલા જેકેટની આસપાસ જે પણ આતંકીઓ ઉભા હતા તે પૈકી પાંચ સૃથળ પર જ માર્યા ગયા હતા. માર્યા ગયેલા પાંચમાં જેકેટ પહેરી ઉભેલા આત્મઘાતી આતંકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે સ્નાઇપરે આ ગોળી ચલાવી ત્યારે આત્મઘાતી હુમલાખોર હુમલા પહેલા એક વીડિયો સંદેશ રેકોર્ડ કરી રહ્યો હતો.