દેશ-વિદેશ
News of Monday, 24th June 2019

મ્યાંમારમાં સેનાની નાવડી પર રોકેટ હુમલો: ત્રણ સૈનિકના મોત

નવી દિલ્હી: મ્યાંમારમાં રખાઈન પ્રાંતના સિત્તવેમાં સેનાની એક નાવડી પર થયેલ રોકેટ હુમલામાં ત્રણ સૈનિકો મોતને ભેટ્યા છે રક્ષા સેવાના મુખ્ય કમાન્ડરના કાર્યાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓ સંગઠન આરાક્ન આર્મીએ સ્થાનિક સમયાનુસાર 3.45 મિનિટ પર નાવડી પર રોકેટ છોડ્યા હોવાની માહિતી આપી છે જેમાં ત્રણ સૈનિકના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:53 pm IST)