દેશ-વિદેશ
News of Saturday, 24th April 2021

જિમ્બાબ્વેમાં હેલીકૉપટર દુર્ઘટનામાં 4 લોકોના મોત

નવી દિલ્હી:રાજધાની હરારેથી 32 કિલોમીટર પૂર્વમાં આર્કટુર્સ નજીક ઝીમ્બાબ્વેથી નજીક એક હેલીકૉપટર દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત થઈને એક ઘર સાથે ટકરાયું હતું.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાર પીડીતી લોકોમાં બે પાયલોટ અને એક ટેન્કીનીશીયન છે અને તેની સાથે સાથે એક બાળક પણ તેની ઝપેટમાં આવી ગયું છે. તેમજ એક અન્ય યુવાન સહીત તેમની માતાને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:34 pm IST)