દેશ-વિદેશ
News of Wednesday, 24th April 2019

નેપાળમાં યાત્રી બસ દુર્ઘટનાનો શિકાર થતા 5 લોકોના મોત

નવી દિલ્હી: નેપાળના ડડેલધુરા જિલ્લમાં સહુખરખામાં બુધવારના રોજ એક યાત્રીની બસ દુર્ઘટનાનો શિકાર બનતા તેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 20 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. મુખ્ય જિલ્લા અધિકારી મોહન રાજ જોશીએ આપેલ માહિતી મુજબ યાત્રી બસ ધનગડીથી બજહાંગ કે=જઈ રહી હતી ત્યારે દુર્ઘટનાનો શિકાર બની છે જેમાં પાંચ લોકોને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી છે. 

(6:24 pm IST)