દેશ-વિદેશ
News of Friday, 23rd September 2022

કોરોના મહામારીના અંતે લઈને WHO ના વડાએ કરી આ જાહેરાત

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન યુએસમાં કોરોના મહામારી સમાપ્ત થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસના કહેવા પ્રમાણે અંતને જોઈ શકાય છે એનો મતલબ એવો ન થાય કે આપણે અંત તરફ છીએ. તેમણે કોવિડ-19 મહામારીનો અંત નજીક હોવાના દાવાને ફગાવીને હજું ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે તેવી માહિતી આપી હતી. જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, દુનિયા કોરોના મહામારીને ખતમ કરવાની આટલી સારી સ્થિતિમાં અગાઉ કદી નહોતી, અંત નજીક છે તેમ કહી શકાય. ટેડ્રોસના કહેવા પ્રમાણે મહામારીને સમાપ્ત કરવા માટે દુનિયા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં એટલા માટે છે કારણ કે, હાલ સાપ્તાહિક મૃતકઆંકમાં ઘટાડો ચાલુ છે. જે આંકડો જાન્યુઆરી 2021માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર 10 ટકા જેટલો જ રહ્યો છે. 

(5:26 pm IST)