દિવાસળીના કારખાનામાં
ઈન્ડોનેશિયામાં ભીષણ આગ : ૩૦ના મોત
જકાર્તા, તા.૨૨ : ઇંડોનેશિયાના ઉત્ત્।રી સુમાત્રા પ્રાંતમાં એક મોટી દુર્દ્યટનાએ ઓછામાં ઓછા ૩૦ લોકોનો ભોગ લીધો છે. નાના પાયે દીવાસળીનું ઉત્પાદન કરતા કારખાનામાં અચાનક જ આગ લાગતા ૩ બાળકો સહિત ૩૦ જેટલા લોકો સળગી મર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં આવેલી એક કામચલાઉ ફેકટરીમાં આ દુર્ઘટના બની હતી અને તે સમયે ત્યાં ૩૦ જેટલા લોકો કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. દુર્ઘટના બાદની મકાનની તસવીરોમાં બળીને કાળા મેશ થઈ ગયેલા અનેક શબ એકબીજા ઉપર પડેલા જોવા મળ્યા હતા. ઉત્ત્।રી સુમાત્રાના પોલીસ પ્રવકતા આત્મજાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈના પણ બચવાની આશા નથી જણાઈ રહી.
હાલમાં ત્રણથી ચાર લોકો ઘટના સ્થળેથી બચીને બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. યોગ્ય તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.