દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ચાલ્સ ક્રાઉથમરનું નિધન

નવી દિલ્હી: પુલિત્ઝર વિજેતા સ્તંભકાર અને વિશ્લેષક ચાલ્સ કાઉથમરનું નિધન  થયું છે તે 68 વર્ષના હતા ફોક્સ સમાચાર એજંસી અને વોશિંગટન પોસ્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી કર્મી રહી ચૂકેલ કાઉઠમરનું નિધનની ઘોષણા ગુરુવારના રોજ કરવામાં આવી હતી તેને છેલ્લા એક વર્ષથી પેટના કેન્સરની બીમારી હતી જેની સારવાર ચાલી રહી હતી આ મહિને તેમને જણાવ્યું હતું કે તેમની પાસે હવે બે અઠવાડિયાનું જીવન છે 1984થી ચાલી રહેલ પોતાની કોલમમાં તેમને લખ્યું હતું કે કોઈ પણ ફરિયાદ વગર હું મારી જિંદગીને છોડીશ આ ખુબજ સારી જિંદગી હતી અને મને સહુ કોઈનો પ્રેમ ખુબજ મળ્યો છે .

(6:55 pm IST)