સરગવાના બીજથી પણ પાણીને શુધ્ધ કરી શકાશે : સંશોધન
વોશિંગ્ટન તા. ૨૨ : વિશ્વમાં આજે પણ અનેક લોકોને પીવાનું શુદ્ઘ પાણી મળી શકતું નથી ત્યારે તેના કારણે લોકો વિવિધ બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે અમેરિકાની કાર્નિજ મેલોન યુનિ.ના વિજ્ઞાનીઓએ સરગવાનાં બીજમાંથી કાઢેલા પ્રોટીનમાંથી ફિલ્ટર બનાવ્યું છે, જેના આધારે પીવાના પાણીને શુદ્ઘ બનાવી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે ડ્રમસ્ટિકના નામથી ઓળખાતા સરગવાના શાક તરીકે તેમજ તેલ અને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. લાંબા સમયથી તેનાં બીજનો પાઉડર પાણી સાફ કરવાના ઉપયોગમાં આવે છે, પરંતુ આ પાઉડરને સીધા પાણીમાં ધોવાથી બીજમાંથી નીકળતા અધુલનશીલ જૈવિક કાર્બનનો અવશેષ બચી જાય છે. પરિણામે પાણીમાં ૨૪ કલાક બાદ ફરીથી બેકટેરિયા જોવા મળે છે અને તે પાણી વધુ સમય સુધી પીવાલાયક રહેતું નથી.
આ અંગે વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેની ખાસિયત એ છે કે એફ સ્ટેન્ડની મદદથી અનેક વાર પાણીને સાફ કરી શકાય છે અને તે કારણથી જ આ એક સસ્તી ટેકનિક છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ ટેકનિકથી પછાત અને વિકાસશીલ દેશોમાં અશુદ્ઘ પાણીની સમસ્યાનો અંત આવી શકે તેમ છે. (૨૧.૭)