દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

કરાંચીમાં વધારે ગરમીના કારણે 65ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચી શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી અને લૂ ના કારણે ઓછામાં ઓછા 65 લોકોના મોત  નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે તાપમાન વધવાના કારણે મૃતક આંક હજુ પણ વધવાની સંભાવના જણાઈ રહી છે મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ તાપમાન ગઈ કાલે 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને હજુ પણ ગરમી વધાવાનીજ હોવાની સંકેત જણાઈ રહ્યો છે હજુ પણ ગરમીના કારણે મૃતક આંકમાં વધારો થઇ શકે તેવી સંભાવના જણાઈ રહી છે.

(6:23 pm IST)