શું તમને ભૂલવાની ટેવ છે ? તો દરરોજના રૂટીનમાં કરો આટલા ફેરફાર
આજની આ જીવન શૈલીમાં વાત-વાત પર ભૂલવાના રોગ આજે સામાન્ય થઈ ગઈ છે. પહેલા તો આ સમસ્યા મોટી ઉમ્રના લોકોને થતી હતી પણ હવે તો નાની ઉંમરના બાળકોમાં પણ જોવા મળે છે. નાની-નાની વસ્તુઓ ભૂલવી તેને ઈગ્નોર કરવું આ અલ્ઝાઈમ રોગ થવાના સંકેત થઈ શકે છે. શરૂઆતમાં લોકોને સામાન્ય વસ્તુઓ ન ઓળખે જેવા લક્ષણો દેખાય છે. તમારી જીવનશૈલીમાં કેટલાક નાના-નાના ફેરફારો દ્વારા તમે સમય રહેતા આ સમસ્યા છૂટકારો મેળવી શકો છો. તમને ભૂલવાનો રોગ છે તો આ ઉપાયો અજમાવો.
૧. પૂરતી ઊંઘ : સરસ અને પુષ્કળ ઊંઘથી તમે ભૂલવાની સાથે-સાથે ઘણા રોગોથી પણ દૂર રહી શકો છો. દરેક ઉંમરના લોકો માટે ઓછામાં ઓછી ૧૦ કલાકની ઊંઘ આવશ્યક છે. આમાંથી ૮ કલાકની ઊંઘ તમને આ મુશ્કેલીથી દૂર રાખશે.
૨. એકસર્સાઇઝ કરવું : આમ તો એકસસાઈજ કે વ્યાયામ કરવું ફાયદાકારી હોય છે. રોજિંદા એકસસાઇઝ કરવાથી યાદશકિત વધાવાની સાથે શરીરમાં પણ વધુ ઘણા લાભો થાય છે તેથી દૈનિક સમય કાઢી ૧૦ થી ૨૦ મિનિટ સુધી એરોબિક ક્રિયા કરવી.
૩. પોષક ભોજન : શોર્ટ ટર્મ મેમોરી લોસની સમસ્યાથી બચવા માટે તમારી ડાયેટમાં પોષક ખોરાક જેમ કે સુકો મેવો, લીલા શાકભાજી, બીટ, સફરજન, કોફી,પલાળેલા, બદામ, ઘી અને દાળનો સમાવેશ કરો.
૪. માનસિક રીતે રહો સક્રિય : આ સમસ્યા દૂર રાખવા માટે શારીરિકની સાથે માનસિક ક્રિયા કરવી પણ જરૂરી છે. માનસિક રીતે સક્રિય રહેવા માટે ક્રોસવર્ડ પજલ, સુડોકુ, સંગીત સાધનો વગાડવા, આ પ્રતિદિન કરવાથી મગજ ઝડપી થાય છે અને વસ્તુઓ ઝડપથી નથી ભૂલાતી.
૫. ખૂબ ખાવું પીસ્તા : યાદશકિતને તેજ બનાવવા માટે પિસ્તા ખૂબ જ ફાયદાકારક છે તેથી તમારા ડાયેટ માં પીસ્તા ચોક્કસ પણે સમાવેશ કરવો.