દેશ-વિદેશ
News of Monday, 21st December 2020

અફઘાનિસ્તાન સૈન્યએ તાલિબાનના આતંકવાદીઓ સામે આક્રમક કાર્યવાહી શરૂ કરી 75 તાલિબાનીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન સૈન્યએ તાલિબાનના આતંકીઓ સામે આક્રામક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૈન્ય ઓપરેશન દરમિયાન અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં કરાયેલા હુમલામાં 75 જેટલા તાલિબાની આતંકીઓ માર્યા ગયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. હુમલાને પગલે તાલિબાનના ખાતમા તરફ અફઘાનિસ્તાન સૈન્યએ વધુ એક પગલુ ભરી લીધુ છે અને આગામી દિવસોમાં ઓપરેશનને વધુ ગતી આપવામાં આવશે.

      અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા ટ્વિટર પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે અરઘનબાદ, દાંડા, ઝેરિયા અને પંજવે જિલ્લામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 75 તાલિબાનીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે. જ્યારે અનેક ઘવાયા છે, ઘાયલોની વર્તમાન સંખ્યા 20થી વધુ છે.

(5:42 pm IST)