દેશ-વિદેશ
News of Wednesday, 21st April 2021

અફઘાન હવાઈ હુમલામાં કંધારમાં 15 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના દક્ષિણી કંધાર પ્રાંતમાં તાલિબાનની જગ્યા પર લડાકુ વિમાનોથી કરવામાં આવેલ હુમલામાં 15 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.રક્ષા મંત્રાલયે બુધવારના રોજ એક માહિતી આપતા જણાવ્યું છે કે હુમલામાં અન્ય પાંચ આતંકવાદી ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાઈ રહ્યું છે જે પંજવેઇ જિલ્લામાં થોડાક વિસ્તારોને કવર કરી રહ્યા હતા. લડાકુ વિમાનો દ્વારા સમર્થિત જમીની સેના કંધાર અને તેના આસપાસના વિસ્તારમાં દુશ્મનની જગ્યા પર હુમલો કરવાનું શરૂ જ રાખશે તેવું માલુમ પડી રહ્યું છે.

(6:33 pm IST)