News of Monday, 21st January 2019
માલીમાં આતંકી હુમલામાં ૧૦ યુએન શાંતિદૂતના મોત : રપ ઘાયલ : બધા શાંતિદૂત ચાડના
યુએનના જણાવ્યા અનુસાર અફ્રીકી દેશ માલીમા રવિવારના થયેલ આતંકી હુમલામાં એમના ૧૦ શાંતિદૂત માર્યા ગયા. અને ઓછામાં ઓછા રપ ઘાયલ થયા. અહેવાલ પ્રમાણે આ પશ્ચિમ અફ્રીકી દેશમાં યુએન મિશન પર થયેલ સૌથી મોટા ઘાતક હુમલા માનો એક છે. અને માલીમા યુએન મિશનની સ્થાપના ર૦૧૩ મા થઇ હતી. આ બધા શાંતિદૂત ચાડના હતા.
(10:09 pm IST)