News of Thursday, 10th June 2021
મ્યાંમારમાં સૈન્ય વિમાન ક્રેશ થતા 12 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી
નવી દિલ્હી: ગુરુવારે મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાન દુર્ઘટના માંડલેમાં બની છે. શહેરના ફાયર વિભાગે આ અંગે માહિતી આપી છે. ઘટનાની માહિતી મળતાં સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માંડલે વિસ્તારમાં પ્યિન ઉ લ્વિનમાં એક પાવર અને ઇસ્પાત પ્લાન્ટ વચ્ચે 16 સીટરનું વિમાન ક્રેશ થયું હતું.
એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે આ ઘટનામાં જમીન પરના અન્ય આઠ લોકો પણ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર કેટલાક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
(5:46 pm IST)