દેશ-વિદેશ
News of Wednesday, 7th April 2021

નાઇજીરિયામાં હૈજાના પ્રકોપથી 50 લોકોના મોત

નવી દિલ્હી: જયારે દુનિયા આખીમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે નાઇજીરિયામાં હૈજાની આફ્તે તબાહી મચાવી દીધી છે. નાઇજીરિયામાં એક વર્ષની અંદર આ બીમારીના કારણોસર 50 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાઈજીરિયા સેંટર ફોર ડીઝીઝ કંટ્રોલએ જણાવ્યું છે કે દેશ આંખમાં આંઠ રાજ્યોએ સંદિગ્ધ હૈઝના પ્રકોપની સૂચના આપી છે. હાલમાં એનસીડીસી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(6:07 pm IST)