દેશ-વિદેશ
News of Monday, 29th June 2020

ચીનના સિચુઆન પ્રાંતમાં ભારે વરસાદના કારણોસર આવેલ પુરમાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:દક્ષિણ-પશ્ચિમી ચીનના સિચુઆન પ્રાંતમાં ભારે વરસાદના કારણોસર આવેલ પુરમાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે જયારે હજુ 10 લોકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

      સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદના કારણોસર આવેલ તોફાન અને વાવાઝોડાના કારણોસર પૂર આવ્યું હતું જેના કારણોસર ઓછામાં  ઓછા 10 લોકોના મૃત્યુ નિપજ્યા અને  લાપતા લોકોને શોધવા માટેની  તજવીજ હાથ ધરવમાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:52 pm IST)