દેશ-વિદેશ
News of Friday, 20th November 2020

વધતા જતા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ન્યુયોર્કમાં ફરીથી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી: વિશ્વમાં અત્યાર સુધીમાં 5.65 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 3.93 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 13.53 લાખ લોકોના મૃત્યુ થયા છે. હવે 1.58 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સ્કુલ બંધ કરવાના નિર્ણયના પગલે શહેરના 3,00,000 વિદ્યાર્થીઓને અસર થશે. અગાઉ આ તમામ વિદ્યાર્થીઓ સ્કુલમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. આ અંગે ચાન્સેલર રિચાર્ડ કારેનાઝે જણાવ્યું કે શહેરમાં સંક્રમણ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(5:29 pm IST)