દેશ-વિદેશ
News of Friday, 20th November 2020

મેથી દાણાના આ ભરપૂર ફાયદા જાણી લો..આજથી જ સેવન કરશો..

કોરોના કાળમાં શરદી કે ઉધરસ થવાથી જ આપણી ચિંતા વધી જાય છે. વળી ઘણીવાર ઋતુ પ્રમાણે શરદી કે ઉધરસ થઇ શકે છે. જો કે તેમ છતાં સાવચેતી લેવી ખૂબ જ જરૂરી છે. કફની પ્રકૃતિ હોય તો કોરોના સંકટમાં આ લોકોને ખાસ ધ્યાન રાખવું. જો કે આ મહામારી લોકોને શારિરીક રીતે અંદરથી મજબૂત કેમ રહેવું તે પર ભાર મૂકતા શીખવ્યું છે. તો જો તમે પણ નિરોગી રહેવાના પ્રયાસો કરી રહ્યા હોય તો મેથી તમારા માટે લાભકારી થઇ શકે છે. મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે, સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે 

આજે અમે તમને મેથીના આવા જ કેટલાક ઉપાયો વિષે જાણકારી આપીશું. જે તમને વાયુ અને પિત્ત્।ની સમસ્યામાં મદદરૂપ થઇ શકે છે. સાથે જ શરદી, પાચનતંત્રની સમસ્યા ઓછી કરીને શરીરને અંદરથી મજબૂતી આપી શકે છે.

* મેથીના દાણા સ્વાસ્થય માટે ખૂબ લાભકારી છે. મેથીના નાના નાના દાણામાં પણ અનેક ઔષધીય ગુણો છે. અનેક લોકો માથાના વાળથી લઇને પેટના ગેસ અને દુખાવાની અનેક તકલીફો સામે લડવા માટે મેથીના દાણાનું સેવન કરે છે. અને આજ રીતે પીરીયડ્સના દુખાવામાં રાહત માટે પણ મેથી ઉપયોગી સાબિત થઇ શકે છે.

* મેથીમાં એન્ટીઓકસડેંટ્સ ગુણ છે જેના કારણે તે પીરીયડ્સના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. માસિક ચક્ર દરમિયાન મેથીનું સેવન કરવું જોઇએ. આ માટે મેથીની પીસીને તેનું ચૂરણ બનાવો અને સવાર અને સાંજે તેને હળવા ગરમ પાણી કે દૂધ સાથે લો. આમ કરવાથી પીરિયડ્સના દુખાવામાં રાહત મળશે.

* મેથીના દાણા ફકત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બહારથી પણ સુંદરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે.  યંગ એજમાં અનેક યુવક યુવતીઓને ખીલની સમસ્યા રહે છે. વળી કેટલીક વાર આ ખીલના કારણે ચહેરા પર ડાઘ પણ પડી જતા હોય છે. ખીલથી છૂટકારો મેળવવા માટે ૫ ચમચી મેથીના દાણાને ૫ ગ્લાસ પાણીમાં ભરીને રાતભર રાખી દો. તે પછી સવારે આ પાણીની ચહેરો દિવસમાં ત્રણ વાર સાફ કરો. તેનાથી ખીલની સમસ્યામાં રાહત રહેશે. આમ કરવાથી તમારા ચહેરાની કરચલી, ખીલની સમસ્યા દૂર થશે

* મેથીના દાણાને વાટીને જો  સ્કીન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બનાવે છે.

* ડાયાબિટીસ હોય તો મેથીના ઉપચાર ખૂબ જ લાભકારક સાબિત થઇ શકે છે. ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનો પાવડર પાણી સાથે લેવો. વળી એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

*.મેથી કડવી હોય છે. ડાયાબિટીસમાં પેશાબ સાથે જતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનો તે મદદરૂપ થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીએ ૧ નાની ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લેવી. એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવાથી ચોક્કસ ફાયદો થશે.

* ઝાડાની સમસ્યા હોય તો મેથી, રાઈ અને અજમાને સમાન માત્રામાં લઈને તેનુ એક ચૂરણ બનાવી લો. તમે ચાહો તો તેમા થોડી માત્રામાં મીઠુ પણ નાખી શકો છો. જો તમારા ઘરમાં કોઈને ઝાડાની સમસ્યા છે તો તમે આ ચૂરણ આપી શકો છો. પાણી સાથે આ ચૂરણને લેવાથી ખૂબ ફાયદા થશે.

* શરીરના ભાગોમાં દુખાવો રહેતો હોય તો મેથીના ચૂરણનો ઉપયોગ કરવો લાભકારી છે. મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો. તેમા સંચળ મિકસ કરીને દિવસમાં બે વાર કુણા પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે.

*  શરદી-ઉધરસનો મેથી રામબાણ ઇલાજ માનવામાં આવે છે. મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી  ઉધરસ અને શરદી જેવી બીમારી પણ જડમૂળથી દૂર થાય છે.

*  મેથીના દાણાનો પ્રયોગ ઘા અને બળતરાની સારવાર રૂપે પણ કરવામાં આવે છે.

* પહેલાના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી.

* મેથીમાં એવા પાચક એંજાઈમ છે, જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ બને છે.

* મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે.

* મેથીને જો થોડી માત્રામાં જો રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે. સાથે જ આ શરીરના કોલેસ્ટ્રોલનુ સ્તર પણ ઘટાડે છે.

 ઉપાય કરતા પહેલા ડોકટર કે વૈદ્યરાજ અથવા ડાયેટીશયનની સલાહ લેવી જરૂરી છે.

(11:02 am IST)