News of Saturday, 20th October 2018
ઉધરસથી છુટકારો મેળવવા કરો આ ઉપાય
કેટલીય વાર વાઇરસના કારણે શરદી-ઉધરસ થઇ જાય છે. ગળામાં ખારાશ કે ઉધરસ થતા ઝડપથી તેનાથી છુટકારો મેળવી શકાતો નથી. વધારે ઉધરસ આવવાથી ફેફસાને અસર થાય છે. કફ સીરપ સાથે અમુક ઘરેલુ ઉપાય ઉધરસથી રાહત અપાવી શકે છે.
. તુલસીના પાનની ચા પીવાથી ઉધરસ ઝડપથી દુર થાય છે.
. અડધી ચમચી ડુંગળીના રસમાં એક નાની ચમચી મધ નાખી દિવસમાં બે વાર સેવન કરો.
. સુકા આમળા અને મુલેઠીનું ચુર્ણ ખાલી પેટે નવશેકા પાણી સાથે લો.
(10:00 am IST)