News of Thursday, 20th June 2019
પત્રકાર જમાલ ખાશોગીના હત્યારાઓએ આની કિંમત ચુકવવી પડશેઃ તુર્કીના રાષ્ટ્રપતિનો ઘટસ્ફોટ
પત્રકાર જમાલ ખાશોગીની હત્યાને લઇ યુએનનો રીપોર્ટ જારી થયા પછી તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોઓન એ કહ્યું છે કે ખાશોગીના હત્યારાઓએ આની કીંમત ચૂકવવી પડશે.
મીડીયા રીપોર્ટસ મુજબ એમણે કહ્યું કે ખાશોગીની હત્યા માટે સાઉદી અરબ જવાબદાર છે. અને હત્યાની જાણકારી સાઉદીને પહેલેથી જ હતી.
(10:35 pm IST)