દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

તજાકિસ્તાનની જેલમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ કર્યુ દંગલ : ૩ર ના થયા મોત

વાખદાત શહેર  ( તજાકિસ્તાન) હાઇ સિકયોરીટી જેલમાં રવિવાર રાતના ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) ના આતંકીઓ દ્વારા કરવામાં આવેલ દંગલમા ર૯ કેદીઓ અને ૩ ગાર્ડસના મોત થયા હતા. ન્યાય મંત્રાલયએ કહ્યું કે આઇએસના સદસ્યોએ પાંચ કેદી અને ગાર્ડસની હત્યા કરી હતી જે પછી સુરક્ષાબળોએ ર૪ આતંકીઓને માર્યા.  આ જેલમાં લગભગ ૧ પ૦૦ કેદીઓ બંધ છે.

(10:43 pm IST)