દેશ-વિદેશ
News of Thursday, 20th February 2020

ઇંડોનેશિયામાં ભુસખ્લનના કારણોસર ચાર લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ઈંડોનેશિયાના પશ્ચિમી જાવા  પ્રાંતમાં ગુરુવારના રોજ એક મકાનમાં ભૂસ્ખલનની ઘટનામાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે  તેમજ અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

રાષ્ટ્રીય આપદા પ્રબંધન એજન્સીના પ્રવક્તા આગુસ વીબોઉએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બોગોર જિલ્લાના સિલોબંગ  ગામમાં ભારે વરસાદના કારણોસર ભૂસ્ખલની ઘટનામાં આ મકાન આવી ગયું હતું જે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને તેમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે.

(6:06 pm IST)