News of Tuesday, 19th November 2019
માલીમાં સુરક્ષાદળ પર થયેલ હુમલામાં જવાનો શહિદ થયા: 29 ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: માલી અને નાઈજર સીમા વિસ્તારમાં વિશેષ અભિયાન દરમ્યાન સુરક્ષાદળ પર થયેલ હુમલામાં માલી સેનાના 24 જવાનો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ 29 જેટલાને ગંભીર રીતે ઇજા પહોંચી છે. માલી સુરક્ષાબળોના અધિકારીક ટ્વીટ દ્વારા આ વાતની માહિતી મળી રહી છે કે માલી અને નાઇજરના સીમાવર્તી વિસ્તારોમાં આતંકવાદીઓએ પીછો કરીને ટોંગો ટોંગો નામનું એક દ્વિપક્ષીય ઓપરેશન શરૂ કર્યું હતું।
આ અભિયાન દરમ્યાન સોમવારના રોજ તાઓકોટરમાં ગાઓ વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 24 માલી સેનાના જવાનો મોતને ભેટ્યા છે તેમજ 29ને ઇજા પહોંચી છે. આ અભિયાન દરમ્યાન 17 આતંકવાદીઓને પણ મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા.
(5:53 pm IST)