દેશ-વિદેશ
News of Monday, 19th August 2019

ફ્રીઝમાં મુકેલા લોટની રોટલી ખાઓ છો ? તો રહો સાવધાન તે બની શકે છે જાનલેવા

સામાન્ય રીતે ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે લોટ બાંધવામાં આવે છે. જો કે ભોજન બાદ જે પણ લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેતા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે અને સાંજે લોટ એક સાથે જ બાંધી દેતા હોય છે જેથી સમય બચાવી શકાય અને બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે.

જો કે કદાચ જ આપને ખબર હશે કે બાંધેલો લોટ(ગુંદેલો લોટ) જો ફ્રીજમાં મુકવામાં આવે તો તે તમારા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હા તમે સાચુ વિચારી રહ્યા છો કે અમે તો આવું વર્ષોથી કરીએ છીએ. પરંતુ જણાવીએ કે ફ્રિઝમાં મુકેલ લોટ સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે.

- વૈજ્ઞાનિક શું કહે છે ? નિષ્ણાંતોનું કહેવું છે કે જેવો લોટમાં પાણી ઉમેરો છો તે સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. એવું એટલા માટે કહેવાય છે, કારણ કે ઘણા એવા રાસાયણીક પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. લોટ જયારે પણ ફ્રિઝમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીઝમાં રહેલા હાનિકારક કિરણો તેમાં મળી જાય છે. જેના કારણે ફ્રિઝમાં મુકેલ લોટ અનેક પ્રકારે બિમારીઓનો ખતરો પેદા કરે છે.

- આયુર્વેદ શું કહે છે ? આયુર્વેદમાં પણ ફ્રિઝમાં મુકેલા લોટનો ઉપયોગ નહી કરવા જણાવાયું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જયારે પણ તમે રોટલી બનાવો છો તો તાજો જ લોટ બાંધીને બનાવો. ફ્રિઝમાં મુકેલ લોટનો ઉપયોગ ન કરો. ફ્રિઝમાંજે લોટ બાંધીને મુકવામાં આવે છે તે વાસી થઇ જાય છે અને તેનો સ્વાતદ તાજા લોટથી ખુબ જ અલગ હોય છે.

(10:23 am IST)