દેશ-વિદેશ
News of Friday, 19th July 2019

તુર્કીમાં પૂરના કારણે 7 લોકો લાપતા 69 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ તુર્કીમાં આવેલ પૂરના કારણે સાત લોકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે જયારે અન્ય 69 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે ડુસ ગવર્નર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભૂસખલનના કારણે 69 લોકોને રેસ્ક્યુ કરીને બચાવમાં આવ્યા છે જયારે હજુ સુધી 7 લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

(5:39 pm IST)