દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

બીજા પર આરોપ મુકવાને બદલે ભારત આત્મમંથન કરે : પુલવામાં હુમલા પર ચીન

ચીની સરકારી અખબાર ''ધ ગ્લોબલ ટાઇમ્સ'' એ લખ્યુ છે કે પુલવામાં હુમલાને લઇ પાકિસ્તાન અને ચીન પર આરોપ લગાડવાને  બદલે ભારતએ પોતાની આતંકવાદ વિરોધી નીતિ પર આત્મમંથન કરવુ જોઇએ. અખબારએ લખ્યુ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવા પર ચીનએ ઇન્કારનો હવાલો આપી ભારતને ચીન પર પાકિસ્તાનની સાથે મળી આતંકીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે.

(11:17 pm IST)