દેશ-વિદેશ
News of Tuesday, 18th June 2019

ઉત્તરી ઇરાકમાં આઇએસના 16 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: ઇરાકના ઉતરી નિનવેહ પ્રાંતમાં અમેરિકા નિત ગઠબંધન સેનાઓના હવાઈ હુમલામાં સોમવારના રોજ ઇસ્લામિક સ્ટેટના 16 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નિનવેહ ઓપરેશન કમાન્ડે જણાવ્યું હતું કે આ હુમલામાં આઇએસના 16 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. એક અભિયાન ચલાવીને આતંકવાદીઓને ફસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો.

(6:15 pm IST)