દેશ-વિદેશ
News of Thursday, 18th February 2021

ઉત્તર પશ્ચિમી યુગાંડામાં ગ્રેનેડ હુમલામાં ચાર બાળકો ના મોત

નવ દિલ્હી:ઉત્તર પશ્ચિમી યુગાંડાઈ જિલ્લા અદજુમાનીમાં આવેલ એક શરણાર્થી શિવિરમાં મંગળવારના રોજ થયેલ એક ગ્રેનેડ ધમાકામાં ચાર બાળકોના મોત નિપજ્યા છે. તેમજ અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

      પોલીસ અધિકારી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકોને જાળીયો નજીકથી આ વિસ્ફોટક મળ્યું હતું જેને તે પોતાની સાથે ઘરે લઇ આવ્યા અને આ ધમાકો અચાનક થયો હતો જયારે આ બાળકો આ ગ્રેનેડને કાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ધમાકામાં ઘટનાસ્થળેજ ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા તેમજ અન્ય 6 બાળકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:10 pm IST)