News of Friday, 18th January 2019
આલ્કોહલ પોયઝનીંગથી બચવા માટે ડોકટરોએ દર્દીના પેટમાં પ લીટર બીયર ભર્યો
વિયેતનામની એક હોસ્પિટલમાં ડોકટરોએ આલ્કોહલ પોયઝનીંગથી પીડીત એક ૪૮ વર્ષીય દર્દીને બચાવવા માટે એના પેટમાં પ લીટર બીયર ભરી દીધી. દર્દીના લોહીમાં મેથેનોલ સામાન્ય સ્તરથી ૧૧૧૯ ગણું વધારે હતુ અને આને ઓછુ કરવા માટે બિયર ભરવામાં આવ્યુ. અહેવાલ પ્રમાણે આ સમયે હોસ્પિટલમાં કોઇ અન્ય આલ્કોહલ ઉપલબ્ધ ન હતી.
(10:26 pm IST)