News of Wednesday, 17th November 2021
આર્મેનિયા-અઝર બૈજાન વચ્ચે ફરી એકવાર જંગ છેડાઈ હોવાની માહિતી
નવી દિલ્હી : નગર્નો કરાબાખમાં ઘણા દિવસોની શાંતિ બાદ આર્મેનીયા અને અઝર બૈજાન વચ્ચે ફરી એકવાર જંગ છેડાયો છે. આર્મેનિયાએ જણાવ્યું હતું કે અઝરબૈજાનના હુમલાથી તેના 15 સૈનિકોના મોત થયા છે અને 12 અન્યોને બંદી બનાવાયા છે તો બીજી બાજુ અઝરબૈજાનના હુમલાનો સામનો કરી રહેલા આમેનિયાએ રશિયા સમક્ષ મદદની ધા નાખી છે. ઉલ્લેખનીય છે કે આમેનિયા અને અજરબૈજાન વચ્ચે ગત વર્ષે થયેલા ભીષણ સંઘર્ષમાં લગભગ 6500 જેટલા લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ રશિયાએ શાંતિ સમજુતી કરાવી હતી. હવે ફરી સંઘર્ષ થતા આમેનિયાએ રશિયા સમક્ષ મદદની ધા નાખી છે. 1990ના દાયકા સુધી આમેનિયા અને અજરબૈજાન સોવિયત સંઘનો ભાગ હતા. બન્ને દેશો વચ્ચે અનેક યુદ્ધ થઈ ગયા છે પણ હજુ સુધી વિવાદનું સમાધાન નથી થયું.
(5:46 pm IST)