દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

તમે પણ નસકોરાથી હેરાન છો?

નસકોરા બોલાવવા એ એક સામાન્ય સમસ્યા છે. આખી દુનિયામાં કેટલાય લોકોની આ સમસ્યા છે. તેનો અવાજ તમારી ઉંઘને ખલેલ તો પહોંચાડે જ છે સાથે હેરાન કરીને રાખી દે છે. નસકોરા ત્યારે શરૂ થાય છે જ્યારે ગળામાં ધ્રુજારી આવે છે. જેના કારણે અવાજ નીકળવાનો શરૂ થઈ જાય છે. તેને સામાન્ય રીતે ઉઘનો વિકાર ગણવામાં આવે છે અને વધારે નસકોરાની સમસ્યાનું કારણ ઉપચાર અને સામાજીક કારણો સાથે સંકળાયેલ હોય  છે.

તેથી જો તમને નસકોરાની આદત છે તો આ ગંભીર સમસ્યાનું સમાધાન જરૂર કરો. જો તમે ઈચ્છો છો કે તમને હંમેશા માટે નસકોરાની સમસ્યાથી છુટકારો મળી જાય, તો તમારા માટે અનુલોમ વિલોમ પ્રાણાયમ ખૂબ જ સારી ઔષધિ સાબીત થશે. જોકે એ તમારી નાડીને પૂર્ણતઃ સંતુલીત રાખે છે અને શ્વાસની ગતિને પણ સંતુલીત રાખે છે. જેથી તમે સારી રીતે શ્વાસ લઈ શકો છો અને તમને નસકોરાની ગંભીર સમસ્યાથી છુટકારો મળે છે.

 

(9:45 am IST)