ડાયાબિટીસને કરવું છે કંટ્રોલ : આજથી શરૂ કરો આ ઘરઘથ્થું ઉપાય
નવી દિલ્હી તા. ૧૬ : આજની ભાગદોડ ભરેલી લાઈફ સ્ટાઈલ પણ ડાયાબિટીસનું એક કારણ છે. કેટલાક કેસમાં આ વારસાગત પણ હોઈ શકે છે. પરંતુ તમામ બાબતોની વચ્ચે જો શરૂઆતથી જ સાવધાની રાખવામાં આવે તો આ બીમારીને રોકી શકાય છે. મેદસ્વીતા અને ખાવાની આદત આ બીમારીનું કારણ બને છે.
લોહીમાં સુગર લેવલ વધવાને કારણે આપણા શરીરમાં નેચરલ ઈંસુલિન બનવાની શક્તિ ઓછી થવા લાગે છે અને તેનું પરિણામ ડાયાબિટીઝ હોય છે. ડાયાબિટીઝ સંપૂર્ણ રીતે કંટ્રોલિંગ પાવર પર નિર્ભર કરે છે. કેટલાક ફૂડને છોડીને અને કેટલાક ફૂડને ડીશમાં એડ કરીને ડાયાબિટીસથી બચી શકાય છે.
તુલસી એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, એટલા માટે તેને કોઈ પણ રૂપમાં ખાઈ શકાય છે. તમે રોજ સવારે ઊઠીને પાંચથી દસ પાંદડા ખાવા જોઈએ અથવા તેને પાણીમાં ઉકાળીને પીવા જોઈએ. તુલસીમાં એવા તત્વ હોય છે કે પેંક્રિયાટિક બીટા સેલ્સના ઈન્સુલિનને એક્ટિવ કરે છે. જેનાથી બલ્ડ સુગર ઓછું થાય છે.
તજ ભોજનમાં સ્વાદ વધારે છે તથા અનેક બીમારીઓની સારવારમાં પણ મદદરૂપ થાય છે. તજ ઈંસુલિનની સંવેદનશીલતા વધારે છે. તે બ્લડ સુગર અને વેઈટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક કે બે ચમચી તજના પાઉડરને હુંફાળા પાણી સાથે રોજ પી શકો છો.
ગ્રીન કોફી અથવા ગ્રીન ટીમાં હાઈ પોલીફિનોલ હોય છે. તેમાં રહેલ સક્રિય એન્ટી-ઓક્સીડેન્ટ બલ્ડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. રોજ સવારે અને સાંજે ગ્રીન ટી પીવાથી ફાયદો થશે.
સરગવો કે તેના પાંદડાનો રસ પણ ડાયિબિટીઝને કંટ્રોલ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તેના પાંદડાઓને પીસીને નિચોવી કાઢો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
જાબુંના બીજનો પાઉડર રોજ સવારે બે ચમચી પાણી પીવી. ઈચ્છો તો ઘરમાં જ બીજને સુકાવીને તેનો પાઉડર બનાવી શકો છો. ડાયાબિટીઝ માટે તે એક રામબાણ ઈલાજ છે.