દેશ-વિદેશ
News of Wednesday, 16th October 2019

શું તમે પણ પેકેટવાળુ દૂધ ગરમ કરો છો ? તો આ ભૂલ કયારેય ના કરતા, જાણો કારણ

આજે સિટીમાં રહેતા લોકો પેકેટવાળું દૂધ જ વાપરે છે, પણ આ દૂધ પહેલાથી જ પોઈશ્ચરાઈઝર હોય છે. એનો મતલબ કે આ દૂધ ને પહેલાથી જ ઉચ્ચા તાપમાને ગરમ કરીને બાદમાં ઠંડુ કરવામાં આવેલું હોય જેને આપણે પોઈશ્ચરાઈઝેશન કહિએ છીએ.

આમ કરવાથી કોઈ પણ દૂધને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય. અને આવું કરવાથી તેમાં રહેલા હાનિકારક બેકટેરિયા પણ મરી જાય છે. જે લોકો ખુલ્લું દૂધ વાપરે છે તેને ઘણી સાવધાની રાખવી પડે છે, તેને ગાળવું કે ઉકાળવું પડે છે.

દૂધને ખરીધા પછી દૂધને વધારે તાપમાન પર ઉકાળીને ઠંડુ કરવું પડે છે. જો આવું નહિં કરીએ તો તે થોડા કલાકોમાં ખરાબ થઈ જશે. આવી આદતને કારણે લોકો આ પ્રક્રિયા પેકેડવાળા દૂધમાં પણ કરે છે.

પૅકિંગમાં એટલેક કોથળીનું દૂધને ગરમ કરવું જોઈએ કે નહિં એ સવાલ ઘણા લોકોના મનમાં ઉઠે છે. ઘણા લોકો એમ માને છે કે દૂધ પ્લાસ્ટિકમાં આવતું હોવાથી ગરમ કર્યા વગરનું પીવું નુકશાન કારક છે.

અમુક લોકો દૂધને એટલા માટે ગરમ કરે કે તે વધારે સમય સુધી સારૂ રહે. પરંતુ, તમારી જાણ ખાતર વસ્તુ આ કરવી જરૂરી નથી. અને લોકોના મનમાં આ સવાલ આવવો સ્વાભાવિક કે શું પોઈશ્ચરાઈઝડ દૂધને ગરમ કરવું જોઈએ કે નહિં.

શાામાટે ગરમ કરવું ન જોઈએ પોઈશ્ચરાઈઝડ દૂધ ?

''ફૂડ સેફટી'' ના સંસ્થાપક, ડૉ. સૌરભ અરોડાના કહેવા મુજબ પોઈશ્ચરાઈઝડ દૂધને ગરમ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે દૂધ કંપની પૅકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે પોઈશ્ચરાઈઝડ કરીને અને જંતુરહિત બનાવી લે છે.

પણ ઘણા લોકો તેને ફરીથી ગરમ કરે જેથી એમાં રહેલા પોષક તત્વ ઓછા થઈ જાય છે અથવા નષ્ટ પણ થઈ જાય છે. તેથી પેકેટ વાળા દૂધની ગુણવત્તા બનાવી રાખવા માટે તેને ઘરે કયારેય ગરમ ન કરવું જોઈએ.

પૅકિંગવાળા દૂધને ૪ ડિગ્રી તાપમાન પર સાત દિવસ સુધી આરામ થી સાચવી શકાઇ છે. અને ખાસ લોકોએ ધ્યાન આપવું જોઈએ કે દૂધના પેક પર એકસપાયરી ડેટ લખેલી હોય તેનાથી વધુ સાચવી ને જોવું. અને તે તારીખ પહેલા દૂધ ખરાબ થવાની સંભાવના ઓછી હોય છે.

(10:02 am IST)