દેશ-વિદેશ
News of Monday, 16th September 2019

કોલબિયાંમાં વિમાન દુર્ઘટનામાં સાત લોકોના મોતથી અરેરાટી

નવી દિલ્હી: કોલબિયાંના દક્ષિણપૂર્વ પોપાયન શહેરમાં રવિવારના રોજ એક વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું હતું જેમાં ઓછામાં ઓછા સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય બે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગઈ કાલે પોપાયનથી લોપેઝ જવા માટે ઉડાન ભરનાર ટ્વીન એન્જીન પેપર પીએ-31-350 વિમાનમાં ટેક્નિકી  ખરાબી આવના કારણે આ વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાની આશંકા જણાઈ રહી છે. આ દુર્ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળેજ મોત નિપજ્યા છે જયારે ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

(6:49 pm IST)