અફઘાનિસ્તાનમાં કમાંડર સહીત 24 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત બ્દખાશનમાં કમાંડર સહીત 24 આતંકવાદીઓએ સુરક્ષા બળોની સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સેનાએ સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બદખ્શન પ્રાંતના યમગન જિલ્લામાં રવિવારના રોજ સાંજના સુમારે આતંકવાદી સંગઠન તાલિબાનના 24 આતંકવાદીઓએ હથિયારોની સાથે સેનાના જવાનોની સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.
વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આત્મસમર્પણ કરનાર આતંકવાદીઓના પ્રમુખ કમાંડર કારી સુલતાન પણ સામેલ છે. સમર્પણ કર્યા પછી આતંકવાદી કારી સુલતાને એક બયાનમાં જણાવ્યું હતું કે તાલિબાનના આતંકવાદી ખોટા રસ્તે ચાલી રહ્યા છે. તેમની લડાઈથી અફઘાનિસ્તાનના નાગરિકોને નુકશાન પહોંચાડવાનું છે જેના કારણે અમે આ ખોટા રસ્તાને છોડવાનો પ્રયાસ કર્યો છે.