દેશ-વિદેશ
News of Monday, 16th September 2019

શક્તિશાળી વાવાઝોડાના કારણોસર જાપાનમાં 80 હજાર ઘરમાં અંધારપટ છવાયો

નવી દિલ્હી: પૂર્વી જાપાનમાં શક્તિશાળી વાવાઝોડાના કારણે ત્યાંનું જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. આ હેઠળ પૂર્વી જાપાનના મોટા  ભાગના વિસ્તારમાં લાઈટ જતી રહી છે. ત્યાંના લગભગ 80 હજારથી પણ વધારે ઘર ઊંધારપટમાં છવાઈ ગયા છે. રાષ્ટ્રીય મોસમ એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીંબામાં ભારે વરસાદના કારણે ચેતવણી પણ આપવામાં આવી છે.

     મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે ભૂસખલનની પણ આશંકાને ધ્યાનમાં રાખતા 50 હજાર લોકોને ઘર છોડી દેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. પરંતુ આ વાવાઝોડાના કારણોસર હાલમાં 80 હજાર લોકોના ઘરમાં અંધારપટ છાવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:43 pm IST)