દેશ-વિદેશ
News of Monday, 16th July 2018

મૃત્યુનો બદલો લેવા માટે ઇંડોનેશિયામાં ગુસ્સામાં આવી જૂથે 300 મગરને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં મગરનો શિકાર બનેલ એક વ્યક્તિના મૃત્યુનો બદલો લેવા માટે ગુસ્સામાં એક જૂથે લગભગ 300 જેટલા મગરને મોતને ઘાટ ઉતારી દીધા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બદલાની આગમાં મગરને મારીનાખવાની આ ઘટના પાપુઆ પ્રાંતમાં બની છે અને એ શખ્સના અંતિમ સંસ્કાર બાદ આ ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે પોલીસ અને સંરક્ષણ અધિકારીઓ દ્વારા જણાઈ રહ્યું છે કે એક શખ્સ જયારે પશુઓ સાથે ઘાસ શોધવા નીકળ્યો હતો ત્યારે તે મગરનો શિકાર બની ગયો હતો.

(6:51 pm IST)