News of Saturday, 16th June 2018
ફણગાવેલ અનાજ ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે
સામાન્ય રીતે ફણગાવેલ અનાજને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ, તેનાથી તમારા સ્વાસ્થ્યને અમુક પ્રકારનું નુકશાન પણ થાય છે.
. રિસર્ચ અનુસાર, સ્પ્રાઉટને ફણગાવતી વખતે તેમાં રહેલ નમીથી સાલ્મોનેલા અને લિસ્ટેરીયા જેવા બેકટેરીયા પેદા થાય છે. આ બેકટેરીયા ઘણી બીમારીઓનું ઘર બને છે.
. જેમકે, સાલ્મોનેલા ટાઈફી નામના બેકટેરીયા તમને ટાયફોઈડના દર્દી બનાવી શકે છે.
. લિસ્ટીરિયા નામના બેકટેરીયાથી કિડની સંબંધી સમસ્યાઓ થવાનો જોખમ રહે છે.
. આ ઉપરાંત, ફણગાવેલ અનાજ ફૂડ પોઈઝનીંગ અથવા ઝાડાનું કારણ પણ બને છે.
(10:10 am IST)