દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

કરાંચીમાં વાવાઝોડાના કારણે 5ના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાંચીમાં વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે તેમજ અન્ય 36 લોકોને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે આજુબાજુના વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયા હતા અને આ ઘટનામાં બચાવ કર્મીઓએ કરાચીના જુદા જુદા વિસ્તારમાંથી પાંચ લોકોના મૃત્યુના સમાચાર આપ્યા છે તેમજ અન્ય ઘણાબધા લોકો જખ્મી થયા હોવાની માહિતી પણ મળી રહી છે.

(6:44 pm IST)