News of Saturday, 16th February 2019
બ્રાઝીલમાં પુલ દુર્ઘટનામાં કંપનીના વધુ 8 લોકોની ધરપકડ
નવી દિલ્હી: બ્રાઝીલમાં થયેલ એક ભયાનક પુલ દુર્ઘટનામાં દેશની બહુરાષ્ટ્રીય ખનન કંપની વેલેના 8 અન્ય કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે સરકારી વકીલ કાર્યાલયે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ભૂમિકાને લઈને મિનાસ ગેરાઈસ, સાઓ પાઉલો અને રિયો ડી જનેરિયોથી આંઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 166 લોકોના મોત નિપજ્યા હતા અને 155થી વધુ લોકો હજુસુધી લાપતા હોવાની માહિતી મળી રહી છે.
(6:01 pm IST)