News of Thursday, 15th November 2018
15 નવેમ્બર :'ભૂદાન' ચળવળના પ્રણેતા સ્વાતંત્ર્ય સેનાની વિનોબા ભાવેની પુણ્યતિથિ
ન્યુદિલ્હી : ભારતના સ્વાતંત્ર્ય સેનાની,ભૂદાન ચળવળના પ્રણેતા તથા ગાંધીજીના ચુસ્ત અનુયાયી સ્વ.વિનોબા ભાવેની આજ 15 નવે.ના રોજ પુણ્યતિથિ છે.11 સપ્ટે 1895 ના રોજ તેમનો જન્મ થયો હતો.તેમણે 15 નવે 1982 ના રોજ અંતિમ શ્વાસ લીધા.ભારતની આઝાદી માટેની ચળવળમાં તેમણે જીવન અર્પણ કર્યું હતું.તથા જેલવાસ પણ ભોગવ્યો હતો.જોકે તેઓ આધ્યાત્મિક પ્રકૃતિ ધરાવતા હોવાથી જેલમાં પણ શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસ કરતા હતા.તેમજ પ્રવચનો પણ આપતા હતા.દેશ આઝાદ થયા બાદ તેમણે ભારતની આબાદી માટે ભૂદાન ચળવળ ચલાવી હતી.જેને ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો.તેઓ પગપાળા ચાલવાના હિમાયતી હતા.
(12:40 pm IST)