દેશ-વિદેશ
News of Saturday, 15th May 2021

પાકિસ્તાનમાં નહેરમાં વાન ઊંધી પડવાથી 11ના મોત

નવી દિલ્હી:  પાકિસ્તાનના પંજાબ પ્રનતમાં એક યાત્રી વાહન નહેરમાં પડવાના કારણોસર 11 લોકોના મોત નિપજ્યા છે એક સ્થાનિક સમાચાર  એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શુક્રવારના રોજ શેખપુરા જિલ્લાના ખાનકાહ ડોગરાન વિસ્તારમાં બની છે. પોલીસ અને બચાવદળના સભ્યોએ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા તેમજ મૃતદેહોને પણ બહાર કાઢી તેમના પરિવારને સોંપ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોમાં સાત બાળકો,ત્રણ મહિલા સહીત એક પુરુષનો સમાવેશ થઇ રહ્યો છે જે એકજ પરિવારના  હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:12 pm IST)