News of Thursday, 15th March 2018
એકાગ્ર ચિત્તે કરાયેલા મેડિટેશનની ડિપ્રેશન ન આવે
હોંગકોંગ યુનિવર્સિટીના રિસર્ચરોએ મેડિટેશન પર રિસર્ચ કર્યા બાદ જણાવ્યું છે કે એકાગ્ર ચિત્તે કરવામાં આવતા મેડિટેશનના કારણે ડિપ્રેશન આવતુ નથી. આઠ વીક સુધી ૧૧૬ લોકો પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો ડિપ્રેશનના દર્દીઓ હતા. તેમને રોજ બે કલાક માટે એકાગ્ર ચિત્તે મેડિટેશન કરાવવામાં અવ્યું હતું. આવા લોકોમાં ડિપ્રેશન જરાસરખુ પણ દેખાયું નહોતુ અને તેમને જીવવાનો આનંદ આવવા લાગ્યો હતો.
(11:41 am IST)