દેશ-વિદેશ
News of Wednesday, 15th January 2020

પાકિસ્તાનમાં બરફવર્ષાની ઘટનામાં મ્રુતકઆંક વધીને 93એ પહોંચ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં તેમના કબ્જાવાળા કશ્મીર અને અન્ય ભાગમાં બરફવર્ષાની દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને આજ રોજ 93 પહોંચી ગયો છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કારણોસર ઘણાબધા ઘરોને નુકશાન પહોંચ્યું છે અને 66 લોકોના મૃત્યુ થયા હતા. ઘટનામાં 17 દુકાન સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગઈ છે અને 94 ઘર અને એક મસ્જિદને પણ નુકશાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ પણ મૃતકઆંક વધવાની સંભાવના જણાઈ રહી છે.

(6:14 pm IST)