દેશ-વિદેશ
News of Monday, 13th January 2020

કેન્યામાં આતંકવાદી હુમલામાં ત્રણ શિક્ષકોના મૃત્યુની આશંકા

નવી દિલ્હી: પૂર્વી આફ્રિકી દેશ કેન્યાના ગારિસા વિસ્તારમાં આતંકવાદી સંગઠન અલ-શબાબે સોમવારના રોજ હુમલો કરતા ત્રણ શિક્ષકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ત્રણ શિક્ષકોના મૃત્યુની આશંકા જણાઈ રહી છે આ હુમલો પોલીસ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો અને એક મોબાઈલ ટાવરને પણ નષ્ટ કરી દેવામાં આવ્યો છે.

                   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ આ હુમલામાં ત્રણ સ્થાનિક શિક્ષકોના મૃત્યુની આશંકા જણાઈ રહી છે આતંકવાદી એક સ્થાનિક શિક્ષકને પોતાની સાથે લઇ ગયા આતંકવાદીઓએ પહેલા પોલીસ સ્ટેશન પર આગ ચાંપી હતી અને પછી 300 મીટર દૂર મોબાઈલ ટાવરને ધ્વસ્ત કરી દીધો હતો.

(6:07 pm IST)