News of Saturday, 14th September 2019
અફઘાન સીમા પર ગોળીબારીની ઘટનામાં બે પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા
નવી દિલ્હી: પાકિસ્તાન માત્ર ભારત નહીં પરંતુ બીજા પડોશી દેશોની સાથે નાપાક વર્તન કરી રહ્યું છે પાકિસ્તાનની સાથે લગતી ભારતની સીમા હંમેશા ખતરામાં રહે છે એવામ પાકિસ્તાનની સાથે લગતી અને બીજા દેશોની સીમાઓ પણ સુરક્ષિત નથી.પાકિસ્તાન આર્મી હંમેશા પોતાની ખોટી ગતિવિધિઓ માટે ઓળખાય છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજ રોજ ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અફઘાનની તરફથી કરવામાં આવેલ ગોળીબારીની ઘટનામાં ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણાંબધાંને ગંભીર રીતે ઇજા પહોંચી છે. જે પૈકી એક સૈનિકની હાલત ખુબજ ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(6:28 pm IST)