દેશ-વિદેશ
News of Friday, 14th August 2020

નાઇજીરિયામાં બંદૂકધારીઓના હુમલામાં 14 લોકોના મૃત્યુ નિપજ્યા

નવી દિલ્હી:નાઈજિરીયાના નીગેરમા બંદૂકધારીઓદ્વારા કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ પોલીસના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  રાજ્યના અકુરુ ગામમાં થયેલ હુમલામાં  પાંચ લોકો સતત ગોળીબારી કરતા રહ્યા હતા તેમનું કહેવું છે કે બંદૂકધારી કોઈ ડાકુ પણ હોઈ શકે છે. અત્યારસુધીમાં હુમલામાં 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે જેમાં 13 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થઇ રહ્યો છે.

(2:40 pm IST)