યુરોપિયન સંઘે દેશમાં કોવીશીલ્ડના ડોઝ 60થી વધુ વયના લોકોને આપવાનું ટાળવાનું જણાવ્યું
નવી દિલ્હી: યુરોપિયન સંઘની ડ્રગ રેગ્યુલેટર યુરોપિયન મેડિકલ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે, દેશોેએ એસ્ટ્રાઝેનેકાની કોરોના વેકિસન કોવિશીલ્ડના ડોઝ ૬૦થી વધુ વયના લોકોને આપવાનું ટાળવું જોઇએ. વિશ્વમાં હવે કોરોનાની વધુ વેકિસન ઉપલબ્ધ બની હોવાથી કોવેકિસનના કારણે થતા રેર બ્લડ કલોટની સંભાવનાઓ મધ્યે આ સલાહ આપવામાં આવી છે.
યુરોપિયન મેડિકલ એજન્સી આમ તો તમામ વયજૂથના લોકોમાં કોવિશીલ્ડના ડોઝ સુરક્ષિત માને છે પરંતુ યુરોપિયન સંઘના કેટલાક સભ્યદેશોએ રેર બ્લડ કલોટિંગના કારણે ચોક્કસ વયજૂથના અને ખાસ કરીને ૫૦થી ૬૫ વર્ષના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બધં કરી દીધું છે. ઇએમએના વડામાર્કેા કાવાલેરીએ ઇટાલીના એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મહામારીના સંદર્ભમાં અમાં વલણ સ્પષ્ટ્ર છે કે જોખમ અને લાભનો ગુણોત્તર તમામ વયજૂથમાં એકસમાન હોય છે. ધ્બઇગ્દછ આધારિત રસીઓ ઉપલબ્ધ થતાં ફ્રાન્સ અને જર્મની જેવા દેશો તે અંગે વિચારણા કરી રહ્યા છે.