News of Tuesday, 14th May 2019
અફઘાનિસ્તાનમાં વિસ્ફોટના કારણે 3ના મોત: 20 ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની પ્રાંતીય રાજધાની જલાલાબાદમાં સોમવારના રોજ થયેલ ત્રણ ધમાકામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 20 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે પૂર્વી નાગરહરના ગર્વર્નરના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગયાનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્ત લોકો સામાન્ય નાગરિક હોવાનું માલુમ પડી રહ્યું છે આ હુમલાની જવાબદારી હજુસુધી કોઈ પણ સંગઠને લીધી નથી. આ હુમલો એવા સમયે થયો હતો જયારે સંયુક્ત રાષ્ટ્રએ રમજાનના પ્રથમ અઠવાડિયા દરમ્યાન દેશ આંખમાં વધતી હિંસા પર ચિંતા જાહેર કરી હતી.
(5:44 pm IST)